ગુજરતન મા આહીરોની ઘણી વસતિ છે. [૧૬].ગુજરત મા આહીરોની મુખ્ય પાચ(૫) જાતિઓ છે: પ્રંથારિયા,પાન્ચાલિ, મોછાયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હેવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માટ્રુભાષા ગુજરાતી છે.[૧૭]
પ્રાંથારિયા આહીરો પૂર્વી કચ્છમાં રહે છે અને તેમણે એક વ્રજવાણી નામે એક ગામ સ્થાપ્યું હતું. મોછાયા અને બોરીચા આહીરો ચોરડ ક્ષેત્રમાં રહેતાં (સાતલપુર). પ્રાંથરીયા આહીરો ચોબારી, રણવાવ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઇ, ધ્રંગ, ધોરી, સુમેરસર, વાંગ, દાદોર, કુનેરીયા, નોખણીયા, લાખાપર અને સતલપરમાં રહે છે. મોછાયા આહીર પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડ ગામોમાં રહે છે.સોરઠીયાઆહીર અંજાર, નાગોર અને શિયાણી માં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બોરીચી, મિઠીરોહર, ભારાપર વીરા, મોડસર, ખોખરા, કાન્યાબે, જુમ્ખા, બળદિયા અને કેરા માં રહે છે.[૧૮]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો